લખનૌઃ ઉત્તર પ્રદેશની યોગી સરકારે ડો. ભીમરાવ આંબેડકરના પરિનિર્વાણ દિવસ એટલે કે છઠ્ઠી ડિસેમ્બરની રજા રદ કરવાના નિર્ણયથી ભારે વિવાદ ઊભો થયો છે. આ અંગે જિલ્લા અધિકારીએ પત્ર પાઠવી સંબંધિત તમામ વિભાગો અને શાળાઓને જાણકારી આપી દીધી છે.
બાબા સાહેબ આંબેડકરનું છ ડિસેમ્બર ૧૯૫૬ના રોજ નિધન થયું હતું. અને ત્યારથી દર વર્ષે તેમની પુણ્યતિથિ એટલે છ ડિસેમ્બરે તેમને શ્રદ્ધાંજલિ આપવા મહાપરિનિર્વાણ દિવસ મનાવવામાં આવે છે. અને આ દિવસે યુપીમાં સરકારી કચેરીઓ અને શાળાઓમાં રજા રહે છે. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે આ રજા રદ કરવા નિર્ણય કરીને જણાવ્યું હતું કે રાજ્ય સરકારે આવી ૧૫ જાહેર રજા રદ કરી છે.
અને સરકારે આવી રજાઓ રદ કરી જે તે રજાના દિવસે શાળાઓમાં ચર્ચા. પરિચર્ચા અને નિબંધ સ્પર્ધા જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી વિદ્યાર્થીઓને આવી મહાન હસ્તીઓ અંગે જાણકારી પૂરી પાડીને તેમને આવા મહાન લોકોના જીવન અંગેનુ શિક્ષણ પૂરું પાડવા પ્રયાસ કરી રહી છે. જોકે યોગી સરકારે વધુમાં જણાવ્યું છે કે રાજ્યમાં શૈક્ષણિક સત્રમાં ઘટાડો થઈ રહ્યો છે ત્યારે આવી રજાઓ રદ કરીને તે દિવસે બે કલાકના વિશેષ કાર્યક્રમનું આયોજન કરી બાળકોને તે અંગે શિક્ષણ આપવા સરકાર પ્રયાસ કરી રહી છે. જોકે હાલ આ મુદે રાજ્યના દલિતોમાં વિરોધ થઈ રહ્યો છે.
(એજન્સી) વારાણસી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે પોતાના સંસદીય મત ક્ષેત્ર વારાણસી પહોંચી ગયા હતા. સૌ પહેલાં તેમણે ડીઝલથી…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: ગુજરાત વિધાનસભામાં આજે નાણાપ્રધાન નીતિન પટેલે લેખાનુદાન રજૂ કર્યું હતું. લોકસભાની ચૂંટણીને અનુલક્ષી ર૦૧૯-ર૦નું પૂર્ણ બજેટ રજૂ…
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરના એસજી હાઈવે પર બેફામ સ્પીડે વાહનો દોડે છે. ઓવરસ્પીડ માટે રૂ.એક હજારનો ઈ-મેમો આપવાની ભલે શરૂઆત…
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: પુલાવામા એટેક બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે હેકિંગ વોર શરૂ થઇ ગઈ છે. ભારતીય હેકર્સે પાકિસ્તાનની ર૦૦થી…
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા રોડનાં કામમાં ચાલતી ગેરરીિત સામે આંખ આડા કાન કરાય છે તે તો જાણે…
(એજન્સી) શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા અને ત્યાર બાદ થયેલ એન્કાઉન્ટરને લઇ સુરક્ષાદળો (આર્મી, સીઆરપીએફ અને સ્થાનિક પોલીસ)એ શ્રીનગર…