નવી દિલ્હી: ભારતીય નાગિરકો દ્વારા ટેક્સ હેવન દેશોમાં જમા કરવામાં આવતાં કાળાં નાણાંની રકમમાં સારો એવો ઘટાડો થયો છે. અત્યંત ગોપનીયતાની ખાતરી આપનાર તેમજ ઓછા ટેક્સદર ધરાવતા દેશોમાં ભારતીયોની થાપણો અને નોન બેન્કિંગ લોનમાં ૨૦૧૩ થી ૨૦૧૭ વચ્ચે ઘણો ઘટાડો થયો છે.
આ વાતનો ઉલ્લેખ દુનિયાભરની સેન્ટ્રલ બેન્કની ગ્લોબલ સંસ્થા બેન્ક ફોર ઇન્ટરનેશનલ સેટલમેન્ટ્સ (બીઆઇએસ)ના ડેટા પર આધારિત સરકારી રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. ૨૦૧૪માં મોદી સરકાર આવ્યા બાદ સ્વિસ બેન્કમાં ઇન્ડિયન્સનાં નાણાં ૮૦ ટકા જેટલાં ઘટી ગયાં છે.
એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે સરકાર વિદેશમાં છુપાવીને જમા રાખવામાં આવેલ કાળાં નાણાંને દેશમાં પરત લાવવા પ્રતિબદ્ધ છે. આ માટે અમે નોટબંધી સહિતનાં અનેક પગલાં ભર્યાં છે, તેને લઇ નવા બ્લેક મની જનરેશન પર લગામ કસવામાં આવી છે.
સરકારી અહેવાલ અનુસાર લક્ઝમબર્ગમાં ભારતીયોની નોન બેન્ક લોન અને િડપોઝિટમાં ૬૨ ટકાનો ઘટાડો થયો છે. તેમના દ્વારા જમા કરવામાં આવેલ રકમ ૨૦૧૩માં ૨.૯ કરોડ ડોલર હતી તે ઘટીને હવે ૧.૧ કરોડ ડોલર થઇ ગઇ છે.
એક અધિકારીના જણાવ્યા પ્રમાણે બીઆઇએસના ડેટામાં ટેક્સ હેવન ઉપરાંત બ્રિટન અને ફ્રાંસમાં પણ ભારતીયોની ડિપોઝિટનો સમાવેશ થાય છે. બ્રિટનને લાગેવળગે છે ત્યાં સુધી ૨૦૧૩ થી ૨૦૧૭ દરમિયાન ભારતીય નાગિરકોની ડિપોઝિટ ૨.૭૩ અબજ ડોલર હતી તેમાં ૩૨.૨ ટકાના ઘટાડા સાથે હવે ૧.૮૫ અબજ ડોલર થઇ ગઇ છે.
ફ્રાંસમાં જમા ભારતીયોનાં નાણાંમાં ૬૬.૩ ટકાના ઘટાડા સાથે ડિપોઝિટ ૪૧.૯ કરોડ ડોલર હતી તે ઘટીને હવે ૧૪.૧ ડોલર થઇ ગઇ છે. સ્વિસ બેન્કમાં જમા ભારતીયોનાં નાણાં ૨૦૧૭માં ૩૪.૭ ટકાનો ઘટાડો નોંધાયો છે.
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદઃ રાજ્પથ ક્લબમાં ૩૮ બોગસ મેમ્બરશિપ આપી દેવાના કૌભાંડમાં વસ્ત્રાપુર પોલીસે કલબના ક્લાર્ક હિતેશ દેસાઇ વિરુદ્ધમાં ૧.૬૫ કરોડની…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: સેન્ટ્રલ બોર્ડ સીબીએસઈ દ્વારા આજથી ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાનો પ્રારંભ થયો છે સાથે સાથે ગુજરાત બોર્ડની…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ઘાતક સ્વાઇન ફ્લૂ સામે નાગરિકોની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરવા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ…
(એજન્સી) નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પુલવામામાં ખોફનાક આતંકી હુમલામાં ૩૭ જવાનોની શહાદત બાદ રાષ્ટ્રને સંબોધતાં જણાવ્યું હતું કે…
(એજન્સી) નવી દિલ્હી: પાકિસ્તાનમાં બેઠેલા આતંકી સંગઠન જૈશ-એ-મૌહમ્મદના સર્વેસર્વા મસૂદ અઝહરની રાહબરીમાં પુલવામા આત્મઘાતી હુમલો થયો છે. આ હુમલાથી આખો…
(એજન્સી) નવી દિલ્હી: પુલવામામાં અવંતીપુરામાં થયેલા આતંકી હુમલાને થોડાક કલાક થયા અને જમ્મુ-કાશ્મીરમાં વધુ એક આતંકી હુમલો થયો છે. શોપિયાના…