રાજકોટઃ ગુજરાતમાં સ્વાઇન ફ્લૂ સતત કહેર વરસાવી રહ્યું છે ત્યારે તેને ડામવાના પ્રયાસો પણ નિષ્ફળ નિવડ્યા છે. વકરતો જતો સ્વાઈન ફ્લૂ એક મોટો ખતરો બન્યો છે અને રાજ્યમાં અનેક લોકોનો ભોગ લઈ રહ્યો છે. રાજકોટમાં સ્વાઇન ફ્લૂથી વધુ 2 દર્દીના મોત થયા છે. ખાનગી હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂની સારવાર લઈ રહેલા 2 દર્દીઓના મોત થયા છે. કેશોદના પુરૂષ અને ચોરવાડની મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે.
ઉલ્લેખનીય છે કે સ્વાઇન ફ્લુનો કહેર સતત જારી રહ્યો છે. ત્યારે આજે રાજકોટમાં ફરી વાર સ્વાઇન ફ્લુથી 2 દર્દીનાં મોત થયાં છે. મહત્વનું છે કે ગઇ કાલનાં રોજ ગુજરાતમાં પણ વધુ બે વ્યક્તિનાં મૃત્યુ થયાં છે. આ સાથે જ 1 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર એમ છેલ્લાં ૪૨ દિવસમાં સ્વાઇન ફ્લુ સામે ૩૩ વ્યક્તિ પોતાનો જીવ ગુમાવી ચૂક્યાં છે.
ત્યારે મહત્વનું છે કે ગઇ કાલનાં રોજ પણ સ્વાઇન ફ્લુનાં અમદાવાદમાંથી 19, સુરતમાં 4, ગાંધીનગરમાં 3, ભાવનગરમાં 2 તેમજ મહેસાણા, રાજકોટ, આણંદ, કચ્છ, ખેડા, પંચમહાલ, ભરૂચ, જેવાં વગેરે-વગેરે જગ્યાઓએ પણ 1-1 કેસો નોંધાયા હતાં. આ રીતે 1 સપ્ટેમ્બર 2018થી 12 ઓક્ટોબર 2018 દરમ્યાન સ્વાઇન ફ્લુનાં કુલ 1303 કેસ નોંધાયાં છે અને જેમાંથી ૩૩નાં મોત થયાં છે.
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરમાં વટવા વિસ્તારમાં આવેલા પુનિતનગર બસ સ્ટેન્ડ પાસે ગઇ કાલે રાતે એક યુવક ઉપર સામાન્ય બાબતે તેના…
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં CRPFના જવાનો ઉપર થયેલા આતંકી હુમલાના ઘેરા પ્રત્યાધાત અમદાવાદ સહિત સમગ્ર દેશમાં પડ્યા છે. આંતકી…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: પગારના મુદ્દે છેલ્લા ઘણા સમયથી લડત ચલાવી રહેલા ગ્રાન્ટેડ શાળાઓમાં ફરજ બજાવી રહેલા શિક્ષણ સહાયકોએ રાજ્ય સરકારને…
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: વી.એસ. હોસ્પિટલ પરિસરમાં રૂ.૭પ૦ કરોડના ખર્ચે નવનિર્મિત ૧૮ માળની સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલના બારમા માળે સ્વાઇન ફ્લૂનો…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: આજે મ્યુનિસિપલ મુખ્યાલયમાં આવેલા ગાંધી હોલમાં મળેલી બજેટ બેઠકમાં સવારે ૧૦ વાગ્યે મ્યુનિ. કોર્પોરેશન સલગ્ન ચારેય સંસ્થાનાં…
(એજન્સી) નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ ૪૦ જવાનના પાર્થિવ દેહ આજે તેમના ઘરે પહોંચી જશે અને તેમને…