અમદાવાદ, ગુરુવાર
રાજ્યના જુદા જુદા જિલ્લામાં ખેડૂતો અને વેપારીઓના રૂપિયા ૧પ કરોડની રકમ ખંખેરી રહેલા બંટી-બબલીને મહીસાગર પોલીસે આબાદ ઝડપી લીધા હતા.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ર૦૧૦ની સાલમાં વડોદરા ખાતે ઓફિસ ખોલી કેતન ડામોર આ કંપનીનો સીઇઓ બન્યો હતો અને તેની પત્ની લક્ષ્મીને સીએમડી બનાવી હતી. આ પછી તેમની કંપનીમાં ડિરેકટરોની નિમણુંક કરી ગ્રાહકો પણ બનાવ્યા હતા. ત્યારબાદ આ ભેજાબાજ બંટી-બબલીએ ખેડૂતો અને વેપારીઓને અનાજના ડબલ ભાગ આપવાની લાલચ આપી અનાજની ખરીદી કરી હતી.
ત્યાર બાદ ખેડૂતો અને વેપારીઓને તેમના પૈસા પરત નહીં કરી બંટી-બબલી ફરાર થઇ ગયા હતા. મહીસાગર પોલીસે ટેકનીકલ સપોર્ટથી અલગ અલગ ટીમ દ્વારા વોચ ગોઠવી હતી. દરમ્યાનમાં ચોક્કસ બાતમી મળતા પોલીસે રૂપિયા ૧પ કરોડનું લોકોનું ફુલેકુ ફેરવનાર આ બંટી-બબલીને રાજકોટ ખાતેથી ઝડપી લીધા હતા. પોલીસે બંનેને રિમાન્ડ પર મેળવી આગળની ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરની આરટીઓ કચેરીમાં સોફટવેરમાં ચેડાં કરીને ટુ વ્હીલરનાં લાઈસન્સ ધારકોને ફોર વ્હીલર તેમજ હેવી વિહિકલનાં લાઈસન્સ કાઢી…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરના રખિયાલ વિસ્તારમાં આવેલ સુખરામનગરના ત્રણ માળિયા મકાનમાં ગઇકાલે પોલીસ કર્મચારી તેમજ ના પુત્ર અને તેની પત્ની…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: ગુજરાત વિધાનસભાના પાંચ દિવસીય ટૂંકા સત્રનો આરંભ આજે વિપક્ષના હોબાળા વચ્ચે થયો હતો. સત્રની શરૂઆતના પહેલા દિવસે…
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: રાજદ્રોહના કેસમાં જામીન રદ થયા બાદ નાસતા ફરતા પાસના નેતા અલ્પેશ કથીરિયાની સુરત ક્રાઇમ બ્રાંચે સુરતના વેલંજા…
(એજન્સી) પુલવામા: તાજેતરમાં જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના ૪૪ જવાનોને શહીદ કરનાર ખોફનાક આતંકી હુમલાના બદલારૂપે આજે પુલવામામાં જ સુરક્ષાદળોએ આ આતંકી…
(એજન્સી) નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ સીઆરપીએફે કાશ્મીરમાં જવાનોના કાફલાની અવરજવરમાં નવા નિયમો જોડવાનો નિર્ણય કર્યો છે.…