વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશવાસીઓ સમક્ષ 18મી વખત ‘મનની વાત’ કરશે. આ કાર્યક્રમને આકાશવાણી તેમજ દૂરદર્શનના દરેક ચેનલ પરથી પ્રસારીત કરવામાં આવશે. જોકે પીએમ મોદીના ‘મનની વાત’ કાર્યક્રમ પર કોંગ્રેસે ચૂંટણી આયોગમાં રોક લગાવાની માગ કરી હતી. કોંગ્રેસે પાંચ રાજ્યોમાં ચૂંટણી હોવાથી મતદારો પર તેની અસર પડે તેમ જણાવ્યું હતું. પરંતુ ચૂંટણી આયોગે રોક લગાવનો ઇન્કાર કર્યો હતો. પરંતુ ચૂંટણી આયોગે ‘મનની વાત’ માં આચાર સંહિતાનો ભંગ ન થાય તેની તકેદારી રાખવા જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળ, આસામ, તામિલનાડુ, કેરળ અને પોંડીચેરીમાં 4 એપ્રિલથી 16 મે વચ્ચે વિધાનસભાની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. આચાર સંહિતા લાગુ હોવાથી સૂચના અને પ્રસારણ મંત્રાલયે વડા પ્રધાનના નરેન્દ્ર મોદીના આ કાર્યક્રમના પ્રસારણ માટે અગાઉથી ચૂંટણી આયોગથી મંજૂરી મેળવી લીધી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘મનની વાત’ની 18મી કડી છે. ગત કાર્યક્રમમાં પીએમ મોદીએ ખાદીને પ્રોત્સાહન તેમજ ખેડૂતો માટેની પાક વિમા યોજના જેવા મુદ્દાઓ પર પોતાના મનની વાત કહી હતી.
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરમાં વટવા વિસ્તારમાં આવેલા પુનિતનગર બસ સ્ટેન્ડ પાસે ગઇ કાલે રાતે એક યુવક ઉપર સામાન્ય બાબતે તેના…
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં CRPFના જવાનો ઉપર થયેલા આતંકી હુમલાના ઘેરા પ્રત્યાધાત અમદાવાદ સહિત સમગ્ર દેશમાં પડ્યા છે. આંતકી…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: પગારના મુદ્દે છેલ્લા ઘણા સમયથી લડત ચલાવી રહેલા ગ્રાન્ટેડ શાળાઓમાં ફરજ બજાવી રહેલા શિક્ષણ સહાયકોએ રાજ્ય સરકારને…
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: વી.એસ. હોસ્પિટલ પરિસરમાં રૂ.૭પ૦ કરોડના ખર્ચે નવનિર્મિત ૧૮ માળની સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલના બારમા માળે સ્વાઇન ફ્લૂનો…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: આજે મ્યુનિસિપલ મુખ્યાલયમાં આવેલા ગાંધી હોલમાં મળેલી બજેટ બેઠકમાં સવારે ૧૦ વાગ્યે મ્યુનિ. કોર્પોરેશન સલગ્ન ચારેય સંસ્થાનાં…
(એજન્સી) નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ ૪૦ જવાનના પાર્થિવ દેહ આજે તેમના ઘરે પહોંચી જશે અને તેમને…