ભોપાલ: મધ્યપ્રદેશમાં તાજેતરમાં થયેલી કોમી હિંસાને લઇને જમિયત ઉલેમાના ઉપાધ્યક્ષ મુફતી અબ્દુર્રરઝાકે એક ભડકાઉ નિવેદન કર્યું છે. રાજ્યમાં પ્રવર્તતી તંગદિલી વચ્ચે મુફતી અબ્દુર્રરઝાકે મુસ્લિમોને જણાવ્યું છે કે જો તમારા ઘરે કોઇ આવે તો તેને મારી નાખો. તેણે જણાવ્યું હતું કે હું અગાઉ પણ મુસલમાનોને કહી ચૂકયો છું અને ફરી એક વાર કહું છું કે જો કોઇ વ્યકિત તેમનાં ઘરની તરફ આંખ પણ ઉઠાવે, ચોરી કરે, આતંકવાદી આવે તો તેને એટલો મારો કે તે મરી જાય.
મુફતી અબ્દુર્રરઝાકે વધુમાં જણાવ્યું હતું કે જે દિવસે મુસ્લિમો વિફરશે તે દિવસે છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દેશે. મીડિયા સાથેની વાતચીત દરમિયાન તેમણે નારાજગી વ્યકત કરતાં જણાવ્યું હતું કે અમે તમને બોલાવીને બધું સમજાવી દીધું છે. હવે આ જ વાત મુસ્લિમોને કહીશું. આમ પણ હું વૃદ્ધ છું. મને મરવાની કોઇ ચિંતા નથી.
મુસ્લિમોને ઉશ્કેરતાં તેેણે જણાવ્યું હતું કે તમારી જાન માલની ચિંતા ન કરો. મરી જાવ અથવા મારી નાખો, પરંતુ કોઇ તમને નુકસાન ન પહોંચાડી જવું જોઇએ. તેણે એમ પણ જણાવ્યું હતું કે મુસ્લિમો કોઇની બહેન દીકરી પર ખરાબ નજર ન રાખે, કોઇના ઘરે ન જાય અને કોઇના અત્યાચારો સહન ન કરે.
પાંચમા વેદ મહાભારતને ઘરમાં રાખવા અને તેના પઠનને કોણે અને ક્યારે વર્જિત ગણાવ્યો છે? મહાભારતનું ગાન થતું ત્યારે લોકહૃદયમાં તેનાં…
અમદાવાદમાં સૌપ્રથમ વાર ચેપલની અંદર આર્ટ એક્ઝિબિશન કરવાનો અનોખો પ્રયાસ નીના નૈષધ- નીકોઇ ફાઉન્ડેશન તથા કોલકાતાના સિગલ ફાઉન્ડેશન દ્વારા કરવામાં…
ફિલ્મમાં દરેક એક્ટર્સે સરસ પર્ફૉર્મન્સ આપ્યું છે. અજય દેવગણ,અનિલ કપૂરે પોતાની શાનદાર એક્ટિંગથી ફિલ્મનો ચાર્મ વધારી દીધો છે. માધુરી દીક્ષિત…
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: આગામી નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના રૂ. ૮૦૫૧ કરોડના બજેટને ભાજપના શાસકોએ 'મોર્ડન અમદાવાદ'નું બજેટ તરીકે જાહેર કર્યું છે.…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવાતી ધો.૧૦ અને ધો.૧રની બોર્ડ પરીક્ષાને હવે ગણતરીના દિવસો બાકી…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: બે વર્ષ અગાઉ ચોમાસાના પહેલા રાઉન્ડના સામાન્ય વરસાદમાં આશરે રૂ.૪પ૦ કરોડના રોડને ઓછા-વધતા અંશમાં નુકસાન થતાં સમગ્ર…