નવી દિલ્હી: બસુપા સુપ્રીમો માયાવતીએ રાજ્યસભાની સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું છે. માયાવતી રાજ્યસભામાં બોલવાની પરવાનગી ન મળવાથી ગુસ્સે હતા. બોલવાની પરમિશન ન મળતાં ભડકેલા માયાવતીએ રાજીનામાની ધમકી આપતાં સદનમાંથી વોકઆઉટ કરી દીધું હતું.
માયાવતી જ્યારે રાજીનામું આપવા રાજ્યસભા ચેરમેનની ઓફિસ પહોંચી તો એમની પાછળ રાજ્યસભાના વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદ અને કોંગ્રેસ સાંસદ રાજીવ શુક્લા પણ પહોંચી ગયા હતા. પોતાની પાર્ટીના રાજ્યસભા સાંસદ સતીશ ચંદ્ર મિશ્રા પણ માયાની પાછળ ઓફિસ પહોંચી ગયા હતા. જાણવા મળી રહ્યું છે કે બધા સાંસદોએ માયાવતીને રાજીનામું આપતાં રોક્યા, પરંતુ એ માન્યા નહીં અને પોતાના સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું.
હકીકતમાં, સોમવારે જેવી રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઇ, ત્યારબાદ માયાવતીએ સહારનપુરમાં દલિતો પર અત્યાચારનો મુદ્દો ઉછાવ્યો, માયાવતી સતત આ બાબત પર યૂપીની યોગી સરકારનો ઘેરાવો કરી રહી હતી, પરંતુ ચેરમેને એમને સમય પૂરો થવાની દલીલ આપતા બેસવા માટેનો આગ્રહ કર્યો હતો. જો કે ત્યારબાદ માયાવતી સતત બોલવા માટે પરમિશન માંગતી રહી, પરંતુ ચેરમેનએ એમને પરમિશન આપી નહી. આ વચ્ચે માયાલતી ભડકી ગઇ અને સદનમાંથી રાજીનામું આપવાની ધમકી આપીને વોકઆઉટ કરી દીઘું.
માયાવતીએ કહ્યું કે મને માત્ર ત્રણ મીનિટનો સમય આપવામાં આવ્યો હતો, મારા મહત્વના મુદ્દા પર મારી વાત સાંભળવામાં કેમ આવી નહીં. નકવીએ કહ્યું કે માયા કોઇ સમાજની વાત મૂકી રહી નથી માત્ર રાજકારણ કરી રહી છે.
બીજી બાજુ કોંગ્રેસ તરફથી ગુલામ નબી આઝાદે માયાવતીનું સમર્થન કર્યું અને એમના સમર્થનમાં પાર્ટીના દરેક
સભ્યોને સદનમાંથી વોકઆઉટ કરી દીધું હતું.
(એજન્સી) વારાણસી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે પોતાના સંસદીય મત ક્ષેત્ર વારાણસી પહોંચી ગયા હતા. સૌ પહેલાં તેમણે ડીઝલથી…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: ગુજરાત વિધાનસભામાં આજે નાણાપ્રધાન નીતિન પટેલે લેખાનુદાન રજૂ કર્યું હતું. લોકસભાની ચૂંટણીને અનુલક્ષી ર૦૧૯-ર૦નું પૂર્ણ બજેટ રજૂ…
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરના એસજી હાઈવે પર બેફામ સ્પીડે વાહનો દોડે છે. ઓવરસ્પીડ માટે રૂ.એક હજારનો ઈ-મેમો આપવાની ભલે શરૂઆત…
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: પુલાવામા એટેક બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે હેકિંગ વોર શરૂ થઇ ગઈ છે. ભારતીય હેકર્સે પાકિસ્તાનની ર૦૦થી…
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા રોડનાં કામમાં ચાલતી ગેરરીિત સામે આંખ આડા કાન કરાય છે તે તો જાણે…
(એજન્સી) શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા અને ત્યાર બાદ થયેલ એન્કાઉન્ટરને લઇ સુરક્ષાદળો (આર્મી, સીઆરપીએફ અને સ્થાનિક પોલીસ)એ શ્રીનગર…