વીકે શશિકલાને જેલમાં વીવીઆઇપી ટ્રીટેમ્નટ આપવાના આરોપ લગાવનારી DIG ડી રૂપાની ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. ડી રૂપાની ટ્રાન્સફર ટ્રાફિક ડિપાર્ટમેન્ટમાં કરી દેવામાં આવી છે. નોંધનીય છે કે ડીઆઇજી ડી રૂપાએ શનિવારે એઆઇએડીએમના અધ્યક્ષ શશિકલા બાબતમાં પોતાનો બીજી રિપોર્ટ ડીજીપી એચએન સ્તયનારાયણ રાવને સોંપ્યો હતો. જેમાં તેમણે જેલમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારનો ખુલાસો કર્યો હતો.
ડીઆઇજી ડી રૂપાના ટ્રાન્સફર પર કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાએ કહ્યું કે આ સ્થઆનિક પ્રક્રિયાનો ભાગ છે. તો બીજી બાજુ મીડિયાના પ્રશ્નોથી બચતાં તેમણે કહ્યું કે મીડિયાને દરેક વાત જણાવવી જરૂરી નથી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પોતાના રિપોર્ટમાં ડી રૂપાએ કેન્દ્રીય જેલમાં મળતી દરેક સુવિધા પર પ્રશ્નો ઉઠાવ્યા હતાં. એની સાથે જ એમણે એઆઇએડીએમકે અધ્યક્ષ વીકે શશિકલાને વીઆઇપી ટ્રીટમેન્ટ આપવાના સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ સીસીટીવી ફુટેડ ડિલીટ કરવા પર આરોપ લગાવ્યો હતો.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે વિઝિટલ ગેલેરીમાં માત્ર 2 જ સીસીટીવી કેમેરા છે. કેમેરા નંબર 8 અને 9 એડમિશન રૂમની પાસે લાગેલો છે જેમાં રેકોર્ડિંગની સુવિધા ઉપલબ્ધ નથી. શશિકલાને એક અલગથી રૂમ આપવામાં આવ્યો હતો. ત્યાં તે કોઇને પણ મળી શકતા હતા. દરેક ઘટનાઓ કેમેરામાં કેદ કરવામાં આવી હતી, પરંતુ એનું રેકોર્ડિગ ડિલીટ કરી દેવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે ડીઆઇજી રૂપાએ જેલ પ્રશાસન પર સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવાનો આરોપ લગાવ્યો હતો. ડીઆઇજીએ પોતાના વરિષ્ઠ અધિકારી ડીજીપી સત્યનારાયણ રાવ પર લાંચ લેવાનો આરોપ લગાવ્યો હતો. એમનો આરોપ છે કે શશિકલાને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવા માટે 2 કરોડ રૂપિયાની લાંચ આપવામાં આવી હતી. જો કે રાવે ડીઆઇજીના દરેક આરોપને ખોટા કહ્યા હતા.
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરમાં વટવા વિસ્તારમાં આવેલા પુનિતનગર બસ સ્ટેન્ડ પાસે ગઇ કાલે રાતે એક યુવક ઉપર સામાન્ય બાબતે તેના…
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં CRPFના જવાનો ઉપર થયેલા આતંકી હુમલાના ઘેરા પ્રત્યાધાત અમદાવાદ સહિત સમગ્ર દેશમાં પડ્યા છે. આંતકી…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: પગારના મુદ્દે છેલ્લા ઘણા સમયથી લડત ચલાવી રહેલા ગ્રાન્ટેડ શાળાઓમાં ફરજ બજાવી રહેલા શિક્ષણ સહાયકોએ રાજ્ય સરકારને…
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: વી.એસ. હોસ્પિટલ પરિસરમાં રૂ.૭પ૦ કરોડના ખર્ચે નવનિર્મિત ૧૮ માળની સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલના બારમા માળે સ્વાઇન ફ્લૂનો…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: આજે મ્યુનિસિપલ મુખ્યાલયમાં આવેલા ગાંધી હોલમાં મળેલી બજેટ બેઠકમાં સવારે ૧૦ વાગ્યે મ્યુનિ. કોર્પોરેશન સલગ્ન ચારેય સંસ્થાનાં…
(એજન્સી) નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ ૪૦ જવાનના પાર્થિવ દેહ આજે તેમના ઘરે પહોંચી જશે અને તેમને…