યુએન : વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે યુએન મહાસભાને સંબોધિત કરી હતી. પાકિસ્તાનની આકરી ઝાટકણી કાઢી હતી. સુષ્માએ આતંકવાદનો મુદ્દે ઉઠાવતા કહ્યું કે આપણે આતંકવાદને અટકાવવામાં સફળ નથી થયા. તેમણે કહ્યું કે આતંકવાદ માનવાધિકારોનું સૌથી મોટુ ઉલ્લંઘન છે. સુષ્માએ પાકિસ્તાનનું નામ લીધા વગર જ તેના પર નિશાન સાધ્યું હતું. તેમણે પુછ્યું કે આતંકવાદીઓને આશરો કોણ આપે છે. આતંકવાદીઓને મદદ કોણ કરે છે. જેણે આતંકવાદનું બીજ વાવ્યું છે, તેણે કડવું ફળ ખાધું છે. તેમણે કહ્યું કે આતંકવાદને પાળવાનો શોખ પાકિસ્તાનને છે, તેને અલગ પાડી દેવાની જરૂર છે.
સુષ્માએ ઉરી હૂમલા બાદ પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફની તરફથી કાશ્મીરનો ઉલ્લેખ થવાનો જોરદાર જવાબ આપ્યો. સુષ્માએ કહ્યું કે જમ્મુ કાશ્મીર ભારતનો અભિન્ન હિસ્સો છે અને રહેશે. પાકિસ્તાનનો મંસૂબો ક્યારે પણ સફળ નહી. સુષ્મા સ્વરાજે બલૂચિસ્તાનનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે બલૂચિસ્તાનમાં માનવાધિકારોનું ઉલ્લંઘન છયું છે. તેમણે કહ્યું કે જેનાં પોતાના ઘર કાચનાં હોય તેમણે બીજાના ઘર પર પત્થરો ના ફેંકવા જોઇએ.
શરીફે હૂમલો કરતા કહ્યું કે વડાપ્રધાન મોદીએ કઇ કઇ શરતો મુકી હતી જ્યારે તે પોતાના શપથગ્રહમમાં તમને બોલાવ્યા હતા. જ્યારે ઇદ પ્રસંગે શુભેચ્છાઓ આપી હતી. જ્યારે કાબુલથી પરત ફરતા સમયે લાહોર પરત આવ્યા હતા.
સુષ્માએ જણાવ્યું કે મિત્રતા સાથે વિવાદનો ઉકેલ લાવવાનાં પ્રયાસો થયા. પરંતુ અમને બદલામાં શુ મળ્યું, ઉરી આતંકવાદી હૂમલો ? બહાદુર અલી સીમાપારથી આતંકવાદનું જીવતો જાગતો પુરાવો છે. અમે બે વર્ષમાં દોસ્તી નિભાવી, બદલામાં અમને પઠાણકોટ મળ્યો. કાબુલ, ઢાકા પઠાણકો, ઉરીમાં આતંકવાદી હૂમલા થયા.
સુષ્માના ભાષણની અન્ય બાબતો
– ગરીબી નાબુદ કરવી સૌથી મોટો પડકાર
– ગરીબી અને અસમાનતા અંગે ચર્ચા થવી જરૂરી છે.
– વિશ્વભરમાં કેટલાક મહત્વનાં મુદ્દાઓ પર ચર્ચા જરૂરી.
– શાંતિ વગર દુનિયાનો વિકાસ સંભવ નહી.
– સ્વચ્છતા અભિયાન પર ઘણુ કામ થઇ રહ્યું છે.
– ભારત સૌથી ઝડપી વધી રહેલી અર્થ વ્યવસ્થા છે.
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરમાં વટવા વિસ્તારમાં આવેલા પુનિતનગર બસ સ્ટેન્ડ પાસે ગઇ કાલે રાતે એક યુવક ઉપર સામાન્ય બાબતે તેના…
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં CRPFના જવાનો ઉપર થયેલા આતંકી હુમલાના ઘેરા પ્રત્યાધાત અમદાવાદ સહિત સમગ્ર દેશમાં પડ્યા છે. આંતકી…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: પગારના મુદ્દે છેલ્લા ઘણા સમયથી લડત ચલાવી રહેલા ગ્રાન્ટેડ શાળાઓમાં ફરજ બજાવી રહેલા શિક્ષણ સહાયકોએ રાજ્ય સરકારને…
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: વી.એસ. હોસ્પિટલ પરિસરમાં રૂ.૭પ૦ કરોડના ખર્ચે નવનિર્મિત ૧૮ માળની સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલના બારમા માળે સ્વાઇન ફ્લૂનો…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: આજે મ્યુનિસિપલ મુખ્યાલયમાં આવેલા ગાંધી હોલમાં મળેલી બજેટ બેઠકમાં સવારે ૧૦ વાગ્યે મ્યુનિ. કોર્પોરેશન સલગ્ન ચારેય સંસ્થાનાં…
(એજન્સી) નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ ૪૦ જવાનના પાર્થિવ દેહ આજે તેમના ઘરે પહોંચી જશે અને તેમને…