છેલ્લા કેટલાક દિવસોથી ટ્વિટર પર અજાણી બિમારીથી પીડિત હોવાના સમાચાર પર ખુલાસો કરતાં અભિનેતા ઇરફાન ખાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને આંચકો આપ્યો હતો. આ ટ્વિટ બાદ સોશિયલ મીડિયા પર તેના ચાહકોમાં ઇરફાનની બિમારીને લઇને ઘણી ઉત્સુકતા જોવા મળી હતી.
ઇરફાનના ચાહકોના મનમાં એક જ સવાલ થાય છે કે અભિનેતા ઇરફાન ખાન કઇ બિમારીનો શિકાર બન્યો છે? ઇરફાન ખાનની બિમારીને લઇને ચાલી રહેલી અટકળો વચ્ચે પ્રથમ વખતા ઇરફાનના પરિવારે મૌન તોડ્યું છે. ઇરફાનની પત્ની સુતાપા સિકદરે એક નિવેદનમાં જણાવ્યું છે કે લોકો કઇ બિમારી થઇ છે તેની પાછળ સમય ન વેડફે પરંતુ પ્રાર્થના કરે.
ઇરફાન ખાનની પત્ની ફેસબુક પર નિવેદન આપતા જણાવ્યું કે મારો બેસ્ટ મિત્ર અને મારો સાથી એક ‘યોદ્ધા’ છે. તે દરેક મુશ્કેલીનો સામનો કરી શકે તેમ છે. હું જાણું છું કે ઇરફાનના ચાહકો અને મિત્રોના પ્રેમથી આ જંગમાં જીત અમારી જ થશે. મને ખબર છે કે દરેક ચાહકના મનમાં જિજ્ઞાસા તેમજ ચિંતા તેની બિમારીને લઇને થઇ રહી છે પરંતુ તેમાં પોતાની શક્તિ વેડફવા કરતાં ભગવાનને પ્રાર્થના કરવી જોઇએ.
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદઃ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા શિક્ષકોના પડતર પ્રશ્નોના મુદ્દે આજે ગાંધીનગર વિધાનસભાને ઘેરાવ કરવા માટે નીકળેલા સેંકડો…
(એજન્સી) નવી દિલ્હી: સિયોલમાં આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દક્ષિણ કોરિયાના સૌથી મોટા ‘શાંતિ પુરસ્કાર’થી નવાજવામાં આવ્યાં છે. દુનિયાભરના એક…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરની અનેક ખાનગી હોસ્પિટલમાં સ્વાઇન ફલૂના દર્દી માટે અલગ આઇસોલેશન વોર્ડ ન હોવા છતાં ફક્ત કમાણી કરવાના…
અમદાવાદ: એસટીના કર્મચારીઓની હડતાળ આજે બીજા દિવસે પણ ચાલુ રહેતા મુસાફરો હલાકીમાં મુકાયા હતા. સરકારે ખાનગી બસોની વૈકલ્પિક વ્યવસ્થા કરવા…
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના તમામ ર૪૦ નવા-જૂના બગીચાની જાળવણી માટે નવેસરથી ક્વાયત આરંભાઇ છે. હાલના તંત્ર હસ્તકના…
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરની હાઉસિંગ બોર્ડ હસ્તકની હજારો એકર જમીનમાં ઊભા કરાયેલાં મકાનોનું રી ડેવલપમેન્ટ થઇ શકશે. ૭પ…