ગોવાઃ ગોવામાં નદી પર બનેલો પુલ તૂટવાની ઘટના સામે આવી છે. પુલ તૂટવાથી લગભગ 50 લોકો નદીમાં તણાયા છે. જેમાંથી 2 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે 30 લોકો હજી પણ ગુમ છે. ગુમ થયેલા લોકોની ભાળ મેળવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. દુર્ધટના દક્ષિણ ગોવાના કુરચોરેમમાં ગુરૂવારે સાંજે લગભગ 6.30 વાગે બની હતી. જ્યાંથી સંવોર્દેમ નદી પસાર થાય છે. જેની પર પગથી ચાલી શકાય તેવો પુલ હતો. આ પુલ પુર્તગાલી શાસનમાં બનાવવામાં આવ્યો હતો. અત્યાર સુધી 15 લોકોને બચાવી લેવામાં આવ્યાં છે. 5 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
મળતી માહિતી મુજબ એક યુવાને નદીમાં કુદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સમાચાર સમગ્ર વિસ્તારમાં ફેલાયા હતા. જેને કારણે મોટી સંખ્યામાં લોકો નદી પાસે પહોંચ્યા હતા. પુલ પર લોકોની સંખ્યા વધી જતા પુલ તૂટી ગયો હતો. પુલ તુટવાને કારણે 50 લોકો નદીમાં તણાયા હતા. જો કે નદીનો પ્રવાસ વધારે ઝડપી ન હતો. કેટલાક લોકોને તરતા આવડતું હોવાથી તેઓ નદીમાંથી બહાર આવી ગયા હતા. હાલ ઘટના સ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે.
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ કે ઓપનએર થિયેટરને લગ્ન જેવા માંગલિક પ્રસંગોમાં ભારે ભાડું ચૂકવ્યા…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: એસટી નિગમના રાજ્યભરના કર્મચારીઓ ગઇ કાલ મધરાતથી હડતાળ પર ઊતરી જતાં ૮૦૦૦થી વધુ બસનાં પૈડાં થંભી ગયાં…
(બ્યૂરો)ગાંધીનગર: વિધાનસભા ગૃહમાં આજે રાજ્યપાલના સંબોધન બદલનો આભાર માનતું સંબોધન મુખ્યપ્રધાન વિજ્ય રૂપાણીએ કાવ્યમય ભાષામાં કર્યું હતું. તેમણે કહ્યું હતું…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: ગઇકાલે શહેરમાં ગરમીનો પારો ઊંચે ચઢીને છેક ૩૬ ડિગ્રી સેલ્સિયસે જઇને અટક્યો હતો, જે સામાન્ય તાપમાન કરતાં…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ-૨૦૧૯માં લેવાનારી ધોરણ-૧૦, ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને ધોરણ-૧૨…
(એજન્સી) નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના દિક્ષણ કોરિયાના પ્રવાસે પહોંચી ચૂક્યા છે. લોટે હોટલમાં તેઓ ભારતીય સમુદાયના…