નવી દિલ્હી: જેએનયૂમાં દેશદ્રોહી નારેબાજીના આરોપમાં જામીન પર બહાર આવેલા જેએનયૂએસયૂ અધ્યક્ષ કન્હૈયા કુમારના માથે એક સંગઠન દ્વારા 11 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે. પૂર્વાંચલ સેનાના સંગઠન દ્વારા લગાવવામાં આવેલા પોસ્ટરમાં કન્હૈયાને ગોળી મારનારને 11 લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે.
પ્રેસ ક્લબની નજીક લગાવવામાં આવેલા પોસ્ટરની સૂચના પ્રાપ્ત કરી પોલીસ ઘટનાસ્થળે પહોંચી. બધા પોસ્ટર ફાટી દેવામાં આવ્યા છે. આ ફાટેલા પોસ્ટરની સાથે પોલીસ અધિકારી પૂર્વાંચલ સેના અધ્યક્ષની શોધખોળ કરી રહી છે. પોલીસ એસીપીએ સેના અધ્યક્ષને પૂછપરછ માટે સંસદ માર્ગ પોલીસ મથકે બોલાવ્યા છે.
દિલ્હી પોલીસે જેએનયૂ વહિવટીતંત્રને આ અંગે સૂચના આપીને કહ્યું છે કે કન્હૈયાની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવે. 17 ફેબ્રુઆરીના રોજ કન્હૈયા પર થયેલા હુમલા બાદ કોર્ટના નિર્દેશો અનુસાર ડીસીપીએ પત્ર લખીને બસંત કુંજ પોલીસમથકને આ અંગે એલર્ટ કરવામાં આવ્યા હતા. પોલીસે કહ્યું કે કેમ્પસથી બહાર નિકળતાં કન્હૈયાની સાથે પોલીસ સુરક્ષા રહેશે.
પાંચમા વેદ મહાભારતને ઘરમાં રાખવા અને તેના પઠનને કોણે અને ક્યારે વર્જિત ગણાવ્યો છે? મહાભારતનું ગાન થતું ત્યારે લોકહૃદયમાં તેનાં…
અમદાવાદમાં સૌપ્રથમ વાર ચેપલની અંદર આર્ટ એક્ઝિબિશન કરવાનો અનોખો પ્રયાસ નીના નૈષધ- નીકોઇ ફાઉન્ડેશન તથા કોલકાતાના સિગલ ફાઉન્ડેશન દ્વારા કરવામાં…
ફિલ્મમાં દરેક એક્ટર્સે સરસ પર્ફૉર્મન્સ આપ્યું છે. અજય દેવગણ,અનિલ કપૂરે પોતાની શાનદાર એક્ટિંગથી ફિલ્મનો ચાર્મ વધારી દીધો છે. માધુરી દીક્ષિત…
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: આગામી નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના રૂ. ૮૦૫૧ કરોડના બજેટને ભાજપના શાસકોએ 'મોર્ડન અમદાવાદ'નું બજેટ તરીકે જાહેર કર્યું છે.…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવાતી ધો.૧૦ અને ધો.૧રની બોર્ડ પરીક્ષાને હવે ગણતરીના દિવસો બાકી…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: બે વર્ષ અગાઉ ચોમાસાના પહેલા રાઉન્ડના સામાન્ય વરસાદમાં આશરે રૂ.૪પ૦ કરોડના રોડને ઓછા-વધતા અંશમાં નુકસાન થતાં સમગ્ર…