ન્યૂ દિલ્હીઃ કોંગ્રેસનાં પીઢ નેતા મણિશંકર ઐય્યરને કોંગ્રેસે પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ કરી દીધાં છે. તેમને શા માટે સસ્પેન્ડ કર્યા તે અંગેની કારણદર્શક નોટિસ પણ મણિશંકર ઐય્યરને પાઠવી દેવામાં આવી છે. આ અંગે કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ ટ્વીટ કરી માહિતી આપી હતી.
ઉલ્લેખનીય છે કે,”કોંગ્રેસનાં નેતા મણિશંકર ઐય્યરે પ્રધાનમંત્રી મોદી વિરૂદ્ધ “નીચ” જેવાં શબ્દોથી આપત્તિજનક શાબ્દિક ટિપ્પણી કરી હતી. જેનાં કારણે કોંગ્રેસનાં ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને રાજ્ય સભાનાં સાંસદ અને સોનિયા ગાંધીનાં રાજકીય સલાહકાર અહેમદ પટેલે ટ્વિટ કરીને મણીશંકર ઐય્યરને માફી માગવાની ફરજ પાડી હતી.
જો કે, ત્યાર બાદ મણિશંકર ઐય્યરે પણ પોતાનાં શબ્દપ્રયોગને લઇ મીડિયા સમક્ષ માફી માગી હતી. પરંતુ ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે તેનાં માહોલને લઇ કોંગ્રેસને પોતાની રાજનીતિક છબી ખરડાવવાનું પોષાય તેમ નથી.
જેને લઇ કોંગ્રેસે મણિશંકર ઐય્યરને પીએમ મોદી પરનાં વિવાદાસ્પદ નિવેદનને લઇ પોતાનાં પક્ષનાં પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કર્યાં છે. અને આ અંગેની માહિતી કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ ટ્વીટ કરીને આપી હતી.
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદઃ રાજ્પથ ક્લબમાં ૩૮ બોગસ મેમ્બરશિપ આપી દેવાના કૌભાંડમાં વસ્ત્રાપુર પોલીસે કલબના ક્લાર્ક હિતેશ દેસાઇ વિરુદ્ધમાં ૧.૬૫ કરોડની…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: સેન્ટ્રલ બોર્ડ સીબીએસઈ દ્વારા આજથી ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાનો પ્રારંભ થયો છે સાથે સાથે ગુજરાત બોર્ડની…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ઘાતક સ્વાઇન ફ્લૂ સામે નાગરિકોની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરવા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ…
(એજન્સી) નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પુલવામામાં ખોફનાક આતંકી હુમલામાં ૩૭ જવાનોની શહાદત બાદ રાષ્ટ્રને સંબોધતાં જણાવ્યું હતું કે…
(એજન્સી) નવી દિલ્હી: પાકિસ્તાનમાં બેઠેલા આતંકી સંગઠન જૈશ-એ-મૌહમ્મદના સર્વેસર્વા મસૂદ અઝહરની રાહબરીમાં પુલવામા આત્મઘાતી હુમલો થયો છે. આ હુમલાથી આખો…
(એજન્સી) નવી દિલ્હી: પુલવામામાં અવંતીપુરામાં થયેલા આતંકી હુમલાને થોડાક કલાક થયા અને જમ્મુ-કાશ્મીરમાં વધુ એક આતંકી હુમલો થયો છે. શોપિયાના…