કરાચી: પાકિસ્તાનના મહાન ક્રિકેટર અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના વેવાઈ જાવેદ મિયાંદાદે આઈસીસીની સ્પર્ધાઓમાં ભારત સામેની બધી મેચનો બહિષ્કાર કરવા પાકિસ્તાન ક્રિકેટ બૉર્ડ (પીસીબી)ને અરજ કરી છે.
રાષ્ટ્રીય ટીમના કોચ તરીકે પણ રહી ચૂકેલા અને ૧૨૪ ટેસ્ટ મેચનો અનુભવ ધરાવતા પીઢ નિવૃત્ત ખેલાડી મિયાંદાદે કહ્યું હતું કે પાકિસ્તાને રાષ્ટ્રનાં હિત તથા ગૌરવને ધ્યાનમાં રાખી ક્રિકેટ મેચો માટે ભારત સામે કડક વલણ અખત્યાર કરવું જોઈએ. આપણે પથ્થર સામે ઈંટ ફેંકીને જવાબ આપવાનો સમય હવે આવી ગયો છે અને ભારતની ઇચ્છા જો ના હોય તો પાકિસ્તાને તેની સામે કોઈ પણ સ્તરે ક્રિકેટ રમવું ન જોઈએ અને આઈસીસીની બધી ટૂર્નામેન્ટમાં ભારત સામેની મેચોનો બહિષ્કાર કરવો જોઈએ.
મિયાંદાદે વધુમાં ઉમેર્યું હતું કે. ”દ્વિપક્ષીય શ્રેણી રમવા માટે ભારતને આજીજી કરવાનો કોઈ અર્થ નથી. આઈસીસીની સ્પર્ધાઓમાં પાકિસ્તાન જો ભારત સામે નહીં રમે અને આઈસીસીને આર્થિક ખોટ જાય તથા તેનાે કાર્યક્રમ ઝાંખો પડી જતા પાકિસ્તાનને બધાંથી સમોવડિયું સ્થાન મળી શકશે અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટચાહકો ભારત તરફથી પાકિસ્તાનને કેવો અન્યાય થઈ રહ્યો છે તે સમજી શકશે.”
(એજન્સી) વારાણસી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે પોતાના સંસદીય મત ક્ષેત્ર વારાણસી પહોંચી ગયા હતા. સૌ પહેલાં તેમણે ડીઝલથી…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: ગુજરાત વિધાનસભામાં આજે નાણાપ્રધાન નીતિન પટેલે લેખાનુદાન રજૂ કર્યું હતું. લોકસભાની ચૂંટણીને અનુલક્ષી ર૦૧૯-ર૦નું પૂર્ણ બજેટ રજૂ…
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરના એસજી હાઈવે પર બેફામ સ્પીડે વાહનો દોડે છે. ઓવરસ્પીડ માટે રૂ.એક હજારનો ઈ-મેમો આપવાની ભલે શરૂઆત…
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: પુલાવામા એટેક બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે હેકિંગ વોર શરૂ થઇ ગઈ છે. ભારતીય હેકર્સે પાકિસ્તાનની ર૦૦થી…
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા રોડનાં કામમાં ચાલતી ગેરરીિત સામે આંખ આડા કાન કરાય છે તે તો જાણે…
(એજન્સી) શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા અને ત્યાર બાદ થયેલ એન્કાઉન્ટરને લઇ સુરક્ષાદળો (આર્મી, સીઆરપીએફ અને સ્થાનિક પોલીસ)એ શ્રીનગર…