દિલ્હી:જમ્મૂ-કશ્મીરમાં હવે સેનાના જવાનોને બ્લેક કેટ કમાન્ડોનો સાથ મળવા જઈ રહ્યો છે. ટૂંક સમયમાં જ જમ્મૂ-કશ્મીરમાં બ્લેક કેટ કમાન્ડોને તૈનાત કરવામાં આવશે. જે અંગેના પ્રસ્તાવ પર ગૃહમંત્રાલય હાલ જોરસોરથી કામ કરી રહ્યું છે.
આ બ્લેક કેટ કમાન્ડો સેના પર થયેલા હુમલામાં, અથડામણ દરમિયાન અને બંધના માહોલમાં સેનાના જવાનોની મદદ કરશે. મહત્વનું છે કે, આ પહેલી વખત નથી આ પહેલા પણ કમાન્ડોને જમ્મૂ-કશ્મીરમાં તૈનાત કરવામાં આવ્યા હતા.
જોકે તેની તાકાત અને ચતૂરાઈ આતંકના ખાતમાં માટે મોટી પહેલ હશે.તે આતંકનો કાળ બનીને મેદાનમાં ઉતરશે.ત્યારે જોવું રહ્યું કે,ગૃહમંત્રાલય આ અંગેના પ્રસ્તાવને ક્યારે મંજૂરીની મહોર લગાવે છે.
ક્યારે કરવામાં આવી રચના..?
આપને જણાવી દઇએ કે, ઓપરેશન બ્લૂ સ્ટાર બાદ 1984માં NSGની સ્થાપના કરવામાં આવી હતી. ઓપરેશન બ્લૂ સ્ટાર દરમિયાન પંજાબના અમૃતસરમાં સુવર્ણ મંદિરમાં છુપાયેલાં આતંકવાદીઓનો સફાયો કરવા માંટે કરાયો હતો. આ સમયે 7500 જવાનો હતા.
‘બ્લેક કેટ’ કમાન્ડો મુંબઇમાં 26/11ના રોજ થયેલ આતંકી હુમલામાં જાન્યુઆરી 2016માં પઠાણકોટ હુમલામાં ગુજરાતના અક્ષરધામ મંદિરમાં થયેલ આતંકી હુમલાનો સામનો કરવામાંટે આ જવાનો લાવવામાં આવ્યા હતા. સંસદમાં જમા કરાવાયેલ આંકડા અનુસાર જમ્મૂ કાશ્મીરમાં ચાલુ વર્ષે જાન્યુઆરીથી માર્ચ સુધી આશરે 60 ઘટનાઓ બની હતી. જેમાં 15 જેટલા સુરક્ષાકર્મીઓ અને 17 આતંકીઓ માર્યા ગયા હતા.
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરમાં વટવા વિસ્તારમાં આવેલા પુનિતનગર બસ સ્ટેન્ડ પાસે ગઇ કાલે રાતે એક યુવક ઉપર સામાન્ય બાબતે તેના…
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં CRPFના જવાનો ઉપર થયેલા આતંકી હુમલાના ઘેરા પ્રત્યાધાત અમદાવાદ સહિત સમગ્ર દેશમાં પડ્યા છે. આંતકી…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: પગારના મુદ્દે છેલ્લા ઘણા સમયથી લડત ચલાવી રહેલા ગ્રાન્ટેડ શાળાઓમાં ફરજ બજાવી રહેલા શિક્ષણ સહાયકોએ રાજ્ય સરકારને…
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: વી.એસ. હોસ્પિટલ પરિસરમાં રૂ.૭પ૦ કરોડના ખર્ચે નવનિર્મિત ૧૮ માળની સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલના બારમા માળે સ્વાઇન ફ્લૂનો…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: આજે મ્યુનિસિપલ મુખ્યાલયમાં આવેલા ગાંધી હોલમાં મળેલી બજેટ બેઠકમાં સવારે ૧૦ વાગ્યે મ્યુનિ. કોર્પોરેશન સલગ્ન ચારેય સંસ્થાનાં…
(એજન્સી) નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ ૪૦ જવાનના પાર્થિવ દેહ આજે તેમના ઘરે પહોંચી જશે અને તેમને…