ઉત્તરપ્રદેશમાં ભાજપના ધારાસભ્ય સુનીલ દત્ત દ્વિવેદીએ એક સારું ઉદાહરણ રજૂ કરતા માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલ એક શખ્સને પોતાની પીઠ પર ઉઠાવી ડૉક્ટર પાસે લઈ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે શુક્રવારે ફર્રુખાબાદ-ફતેહગઢ રોડ પર ભીમસેન માર્કેટ પાસે બે બાઈક અને એક સાઈકલ વચ્ચે ભારે અકસ્માત થયો હતો. જ્યાં દુર્ઘટનાગ્રસ્ત થયેલ શખ્સો રોડ પર બેભાન અવસ્થામાં પડ્યા હતા. આ દરમ્યાન ધારાસભ્ય પોતાની કારમાં ઘરે જઈ રહ્યા હતા, ત્યારે તેમણે અકસ્માત જોયો હતો. જે જોઈ તેમણે ગાડી રોકાવી તેમણે ગનમેન અને એક શખ્સની મદદથી ત્રણ પીડિતોને હોસ્પિટલ લઈ ગયા હતા.
બીજી તરફ હોસ્પિટલ પહોંચ્યા બાદ માત્ર બે સ્ટ્રેચર હાજર હોવાથી તેઓ પોતે એક શખ્સને પોતાની પીઠ પર બેસાડી ડોક્ટર પાસે લઈ ગયા હતા, કારણ કે તે શખ્સ દર્દમાં તડપી રહ્યો હતો. જેના માટે સ્ટ્રેચરની રાહ જોઈ શકાય તેમ ન હતી.
આ પીડિત શખ્સોની ઓળખ અરવિંદ સિંહ ચૌહાણ, રામેશ્વર અને ઋષભ તરીકે કરવામાં આવી હતી. જેમાના અરવિંદે કહ્યું હતું કે, ‘હું ધારાસભ્યનો આભારી છું. તેમણે મારા જેવા ગરીબની મદદ કરી. તેમણે અમારા ત્રણેય જણનો જીવ બચાવ્યો છે.’
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદઃ રાજ્પથ ક્લબમાં ૩૮ બોગસ મેમ્બરશિપ આપી દેવાના કૌભાંડમાં વસ્ત્રાપુર પોલીસે કલબના ક્લાર્ક હિતેશ દેસાઇ વિરુદ્ધમાં ૧.૬૫ કરોડની…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: સેન્ટ્રલ બોર્ડ સીબીએસઈ દ્વારા આજથી ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાનો પ્રારંભ થયો છે સાથે સાથે ગુજરાત બોર્ડની…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ઘાતક સ્વાઇન ફ્લૂ સામે નાગરિકોની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરવા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ…
(એજન્સી) નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પુલવામામાં ખોફનાક આતંકી હુમલામાં ૩૭ જવાનોની શહાદત બાદ રાષ્ટ્રને સંબોધતાં જણાવ્યું હતું કે…
(એજન્સી) નવી દિલ્હી: પાકિસ્તાનમાં બેઠેલા આતંકી સંગઠન જૈશ-એ-મૌહમ્મદના સર્વેસર્વા મસૂદ અઝહરની રાહબરીમાં પુલવામા આત્મઘાતી હુમલો થયો છે. આ હુમલાથી આખો…
(એજન્સી) નવી દિલ્હી: પુલવામામાં અવંતીપુરામાં થયેલા આતંકી હુમલાને થોડાક કલાક થયા અને જમ્મુ-કાશ્મીરમાં વધુ એક આતંકી હુમલો થયો છે. શોપિયાના…