શ્રીનગર: આગામી 29 જૂનથી શરૂ થતી અમરનાથ યાત્રામાં આ વખતે ભાવિકોને અમરનાથની ગુફાએ જતાં પહેલાં છ કિમી સુધી બરફના રસ્તા પરથી પસાર થવું પડશે, જોકે હાલ આ રસ્તાને યાત્રિકો માટે સરળ બનાવવા કામગીરી ચાલી રહી છે. આ વખતે થયેલી બરફવર્ષાના કારણે પહલગાંવ નજીક હજુ પણ રસ્તા પર બરફ છવાયેલો છે.
દરમિયાન લોક કાર્ય નિર્માણ પ્રધાન નઈમ અખ્તરે અનંતનાગમાં અમરનાથ યાત્રા અંગે કરવામાં આવી રહેલી વ્યવસ્થાની સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી, જેમાં તેમણે અધિકારીઓને જણાવ્યું હતું કે 29 જૂનથી શરૂ થતી અમરનાથ યાત્રા અંગેની હાલ તૈયારી ચાલી રહી છે, જે 20 જૂન સુધી પૂરી કરી લેવાની રહેશે. આ દરમિયાન અધિકારીઓએ પ્રધાનોને જણાવ્યું હતું કે પહલગાંવ તરફથી આવતો રસ્તો યાત્રિકો માટે પગપાળા જવા માટે સારી રીતે તૈયાર કરી દેવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે આ વખતે હિમવર્ષા વધુ થવાથી ગુફા નજીકનો રસ્તો હજુ પણ બરફથી છવાયેલો છે. તેથી આ વખતે યાત્રિકોએ ગુફામાં જવા માટે બરફ પરથી જ પસાર થવું પડશે.
યાત્રિકોની સુરક્ષા અને અન્ય વ્યવસ્થા અંગે પ્રધાને જણાવ્યું કે આ યાત્રા કાશ્મીરની પરંપરા અને સભ્યતાનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. આ માટે કાશ્મીરીઓ હિન્દુ કે મુસ્લિમનો ભેદભાવ ભૂલી જઈ વર્ષોથી આ માટે વ્યવસ્થા કરતા આવ્યા છે. તેથી આ વખતે પણ સ્થાનિક લોકોની ભાગીદારીને ખાસ ધ્યાનમાં લેવામાં આવશે. કાશ્મીરી મુસ્લિમો આ યાત્રાની સુરક્ષાવ્યવસ્થામાં હંમેશાં આગળ રહે છે તેમજ તેઓ આ યાત્રામાં અડચણ ઊભી કરતાં તત્ત્વોનો વિરોધ કરતાં રહ્યાં છે ત્યારે પ્રધાને પહલગાંવ અને અનંતનાગ નજીક યાત્રિકો માટે બનાવવામાં આવેલા કેમ્પની મુલાકાત લીધી હતી, તેમાં તેમણે સ્વચ્છતા રાખવા આગ્રહ કર્યો હોત તેમજ આ કેમ્પમાં યાત્રિકોને સારી સુવિધા મળે તેવી વ્યવસ્થા કરવા આદેશ આપ્યો હતો.
http://sambhaavnews.com/
પાંચમા વેદ મહાભારતને ઘરમાં રાખવા અને તેના પઠનને કોણે અને ક્યારે વર્જિત ગણાવ્યો છે? મહાભારતનું ગાન થતું ત્યારે લોકહૃદયમાં તેનાં…
અમદાવાદમાં સૌપ્રથમ વાર ચેપલની અંદર આર્ટ એક્ઝિબિશન કરવાનો અનોખો પ્રયાસ નીના નૈષધ- નીકોઇ ફાઉન્ડેશન તથા કોલકાતાના સિગલ ફાઉન્ડેશન દ્વારા કરવામાં…
ફિલ્મમાં દરેક એક્ટર્સે સરસ પર્ફૉર્મન્સ આપ્યું છે. અજય દેવગણ,અનિલ કપૂરે પોતાની શાનદાર એક્ટિંગથી ફિલ્મનો ચાર્મ વધારી દીધો છે. માધુરી દીક્ષિત…
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: આગામી નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના રૂ. ૮૦૫૧ કરોડના બજેટને ભાજપના શાસકોએ 'મોર્ડન અમદાવાદ'નું બજેટ તરીકે જાહેર કર્યું છે.…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવાતી ધો.૧૦ અને ધો.૧રની બોર્ડ પરીક્ષાને હવે ગણતરીના દિવસો બાકી…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: બે વર્ષ અગાઉ ચોમાસાના પહેલા રાઉન્ડના સામાન્ય વરસાદમાં આશરે રૂ.૪પ૦ કરોડના રોડને ઓછા-વધતા અંશમાં નુકસાન થતાં સમગ્ર…