નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કેશલેસ ડિજિટલ પેમેન્ટ સિસ્ટના મુદ્દે સમાજવાદી પાર્ટીનાં નેતા અમરસિંહે સવાલ ઉઠાવ્યા હતા. સિંહે કહ્યું કે ભારતના લોકોને કેશલેસ કરવા થોડુ અઘરૂ કામ છે. અહીં અમેરિકા અને સિંગાપુર જેવી સિસ્ટમ નથી જ્યાં બાર અને કેસીનોમાં પણ કાર્ડ ચાલતું હોય. સિંહે કહ્યું કે મોદીના આ નિર્ણય લઇને સિંહની સવારી કરી છે. હજી તો 30 દિવસ પસાર થયા છે આપણે 50 દિવસ પુરા થયા બાદ જ કાંઇક કહી શકીએ તેમ છીએ.
અમરસિંહે કહ્યું કે રાજનીતિમાં વપરાતા નાણાની તપાસ થવી જોઇએ, ચુંટણી પંચે આ મુદ્દે ધ્યાન આપવું જોઇએ. બીજી તરફ સિંહે કહ્યું કે કેશલેસ અંગે સમજણ આપવા માટે મહિલાઓની પણ નિમણુંક કરવી જોઇએ. માત્ર ઇનકમ ટેક્સનાં અધિકારીઓથી કામ નહી પુરૂ થાય. સિંહે કહ્યું કે અમારી પાસે તો બ્લેક કાર્ડ છે એવું જ કાર્ડ અરૂણ જેટલી પાસે પણ છે.
અમે તે કાર્ડનો ઉપયોગ કોઇ પણ સ્થળે કરી શકીએ છીએ. અત્રે નોંધનીય છે કે હાલ સરકાર કેશલેસ ઇકોનોમી માટેના પ્રયાસો કરી રહી છે. વડાપ્રધાન મોદી પોતે પણ કેશલેસ ઇકોનોમી અંગે જોર આપી રહ્યા છે અને લોકોને કેશલેસ બનાવવા માટે અપીલ કરી રહ્યા છે
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદઃ રાજ્પથ ક્લબમાં ૩૮ બોગસ મેમ્બરશિપ આપી દેવાના કૌભાંડમાં વસ્ત્રાપુર પોલીસે કલબના ક્લાર્ક હિતેશ દેસાઇ વિરુદ્ધમાં ૧.૬૫ કરોડની…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: સેન્ટ્રલ બોર્ડ સીબીએસઈ દ્વારા આજથી ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાનો પ્રારંભ થયો છે સાથે સાથે ગુજરાત બોર્ડની…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ઘાતક સ્વાઇન ફ્લૂ સામે નાગરિકોની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરવા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ…
(એજન્સી) નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પુલવામામાં ખોફનાક આતંકી હુમલામાં ૩૭ જવાનોની શહાદત બાદ રાષ્ટ્રને સંબોધતાં જણાવ્યું હતું કે…
(એજન્સી) નવી દિલ્હી: પાકિસ્તાનમાં બેઠેલા આતંકી સંગઠન જૈશ-એ-મૌહમ્મદના સર્વેસર્વા મસૂદ અઝહરની રાહબરીમાં પુલવામા આત્મઘાતી હુમલો થયો છે. આ હુમલાથી આખો…
(એજન્સી) નવી દિલ્હી: પુલવામામાં અવંતીપુરામાં થયેલા આતંકી હુમલાને થોડાક કલાક થયા અને જમ્મુ-કાશ્મીરમાં વધુ એક આતંકી હુમલો થયો છે. શોપિયાના…